Material Content for ગુજરાતનો ઇતિહાસ

 

સિંધુખીણ ની સભ્યતા   /  હડપ્પા સભ્યતા

 

લોથલ  [ અમદાવાદ, લોથ શબ્દ નો અર્થ - લાશ ]

 

  1. લોથલનો સમયગાળો ઈ.પૂ . 2,450 થી 1,900 સુધીનો માનવામાં આવે છે .
  2. જેમાં રસ્તા ઓ પહોળા અનર સીધા જે એકબીજા ને કાટખૂણે મળતા હોય તેવા , મોટા મકાન ,   રસ્તાઓ  પર ગટરો વગેરે આયોજન જોવા મળે છે .
  3. વાસણો બનાવા માટે માટી , પથ્થર અને કાંસા નો ઉપયોગ થતો હતો . 
  4. લોથલ અંતર્ગત લોથ શબ્દ નો અર્થ - લાશ  થાય છે .
  5. ઈ.સ. 1879 માં પ્રસિદ્ધ થયેલ બાબત અનુસાર લોથલ એક બંદર હતું.
  6. લોથલનું  સંશોધન શ્રી એસ.આર.રાવે કર્યું હતું.
રંગપુર (જિ . સુરેન્દ્રનગર)

 

  1. રંગપુર ગુજરાત નું સૌપ્રથમ શોધાયેલું સ્થળ છે.
  2. ઈ.સ. 1931મી શ્રી એમ.એસ. વત્સે રંગપુર નું સંશોધનકાર્ય કર્યું હતું અને જે  પછી  ઈ.સ. 1953-54 મી એસ. આર. રાવ દ્વારા પણ રંગપુર નું સંશોધન કાર્ય થયું હતું.

 

ધોળાવીરા (જી. કચ્છ-ખદીર બેટમાં)

 

  1. ઈ.સ. 1967મી ધોળાવીરામાં હડપ્પન સંસ્કૃતિના અવશેષ  મળ્યા હતા અને ઈ .સ. 1990થી   વ્યસ્થિત  રીતે ખોદકામ થયું હતું.
  2. ધોળાવીરાનું  સંશોધનકાર્ય જગતપતી જોશી અને ત્યારબાદ આર .એસ . બિષ્ટએ  કર્યું હતું .
  3. જેનો વિસ્તાર પૂર્વ થી પશ્ચિમ અને ઉત્તર થી દક્ષિણે અનેક્રમે 775 મીટર અને 600 મીટર છે .
  4. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડા કહે છે.
  5. ધોળાવીરા માંથી મળી આવેલ 10 અક્સર ના સાઈનબોર્ડ ને વિશ્વ નું સૌથી જૂનું સાઈનબોર્ડ  માનવ માં આવે છે.
  6. વર્ષ 2021માં ધોળાવીરા ને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ નો દરજ્જો મળેલો છે.

 

મોર્યકાળ (દસ્તાવેજી યુગની શરૂઆત)

 

ચંદ્રગુપ્ત મોર્ય
  1. મોર્યકાળના  આરંભથી અને ચંદ્રગુપ્ત મોર્ય ના સમય થી ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ શરૂ થાય છે.

 

મોર્ય સમ્રાટ અશોક

 

  1. અશોકનો શિલાલેખ પેકી નો એક ગિરનારની તળેટીમાં દામોદર કુંડ ની નજીક આવેલો છે . જે શિલાલેખ બ્રહ્મી લિપિ માં છે. જેનો સૌપ્રથમ શોધ કર્નલ ટોડ અને વિવરણ  જેમ્સ પ્રિન્સેપે  કર્યું હતું.
  2. સમ્રાટ અશોક નો શિલાલેખ ગિરનારની તળેટીમાં જમીનથી 3.6મીટર ઉંચો અને નીચેના ભાગ 22.86મીટર વ્યાસ ધરાવે છે.
  3. ભારતના પ્રાચીન બ્રાહ્મી લિપિ અંતર્ગત સમ્રાટ  અશોક નું વર્ણન પાલી ભાષા માં અને રુદ્રદામા તેમજ સ્કંદગુપ્ત નું વર્ણન સંસ્કૃત ભાષા માં થયેલું છે.

 

     ગુજરાતના સુબાઓ

 

  •   (1)  મૌર્યકાળ
  • ચંદ્રગુપ્ત મૌર્ય - પુષ્યગુપ્ત વેશ્ય 
  • સમ્રાટ અશોક – તુષફાક

 

  • (2) શક-ક્ષત્રપકાળ
  • રુદ્રદામા - સુવિશાખ               

 

  • (3) ગુપ્તકાળ
  • સ્કંદગુપ્ત - ચક્રપાલી

 

  1.      ●  મૌર્ય સમ્રાટ અશોકનો શિલાલેખ (ગિરનાર)

          ===============

          ===============

          ===============

 લિપિ  : બ્રાહ્મી

    લિપિ  : બ્રાહ્મી

   લિપિ  : બ્રાહ્મી

 ભાષા : પાલી

    ભાષા : સંસ્કૃત

   ભાષા : સંસ્કૃત

         ===============

          ===============

          ===============

  

(1) મૌર્ય સમ્રાટ અશોક  (2) શક શત્રપ રાજવી રુદ્રદામા (3) ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત

 

  1. મૈત્રક કાળ (ઈ.સ. 470-788)
  2. ગુજરાત નો આધારભૂત ઇતિહાસ વલભી (વલભીપુર)થી શરૂ થાય છે.
  3. સેનાપતિ ભટ્ટકે ઈ .સ. 470 આસપાસ વલભીમાં રાજસત્તા સ્થાપી અને રાજધાની ગિરિનગર થી વલભી ખસેડી.
  4.  વલભી વિધાપીઠ ની સ્થપના શાસક ધરસેન ના સમય માં થઈ હતી
  5.  ઈ .સ. 765મી મૈત્રક વંશના શીલાદિત્ય સાતમાનું શાસન હતું. જેને ધ્રુભટ નામ ધારણ કર્યું હતું.

                                                              

શાસકોના ધારણ કરેલા બિરુદો 
  1. શિલાદિત્ય પ્રથમ : ધર્માંદિત્ય
  2. ધરસેન ચોથો : મહારાજ ધીરજ, પરમભટ્ટકર , ચક્રવર્તી , પરમેશ્વર
  3. શીલાદિત્યા સાતમો : ધ્રુભટ
   પ્રતાપી શાસકો 
  1. (1) ધ્રુવસેન પ્રથમ
  2. (2) ધ્રુવસેન બીજો
  3. (3) ધ્રુવસેન ચોથો
  4. (4) ધરસેન ચોથો
  5. (5) શીલાદિત્યા પ્રથમ
  6. (6) ગૃહસેન (પ્રજાપ્રિય શાસક)

                                             

 ચાવડાવંશ (ઈ .સ. 746-942) 
વંશના મુખ્ય શાસક 
   (1) વનરાજ ચાવડા (સ્થાપક)    (2)  સામંતસિંહ (અંતિમ શાસક)

 

  1. ભીલલોકો એ જયશિખરીની રાણી રૂપસુંદરીને સાચવ્યા અને રાણીએ વનમાં એક બાળક ને જન્મ આપ્યો અને તે બાળક નું નામ વનરાજ પાડવા માં આવ્યું .\
  2.  વનરાજ ચાવડાને સમયાંતરે તેના મામા સૂળપાળે યુદ્ધના દાવ -પેચ શીખડાવ્યા અને રાજા ભુવડના હાથમાં રાજ પાછું મેળવવા વનરાજ ચાવડા બહારવટે ચડયો.
  3. વનરાજના યુદ્ધમાં મદદ કરનાર તેના મિત્ર અણહિલ ભરવાડ ના નામ પરથી પાટણ ને  અણહિલપૂર - પાટણ નામ આપ્યું.
  4. વનરાજ ચાવડાએ તેના મિત્ર ચાંપા ના નામ પરથી પાવાગઢ ની તળેટી માં ચાંપાનેર વસાવ્યું
  5.  ચાવડા વંશમી અનેક રાજા થયા જેમાં છેલ્લા રાજા સામંતસિંહ ગણાય છે

 

સોલંકી યુગ (ઈ.સ . 942-1244)
મૂળરાજ સોલંકી (ઈ.સ . 942-997)
  1. મૂળરાજ સોલંકી એ  ઈ .સ. 942માં સોલંકી વંશ ની સતા સ્થાપી.
  2. મૂળરાજ પ્રથમ ના સમયથી ગુર્જર દેશ (ગુજરાત) નામ પ્રચલિત હતું.
ભીમદેવ પ્રથમ (ઈ.સ .1022-1064)
  1. ભીમદેવપ્રથમ ના સમય માં 7 જાન્યુઆરી, 1026ના મહમૂદ ગઝનવી એ સોમનાથ મંદિર લુંટ્યું.
  2. ત્યારબાદ ભીમદેવ પ્રથમ ફરીવાર સોમનાથ મંદિર ના સ્થાને ઈ.સ. 1027મી પથ્થર ના મંદિરનું નિર્માણ કરાવ્યું.
  3. ભીમદેવ પ્રથમના સમયમાં જ મોઢેરાના સૂર્યમંદિરની રચના થઈ હતી.
  4. ભીમદેવ પ્રથમ ના પુત્ર નામ મૂળરાજ અને કર્ણદેવ હતું .
  5. ભીમદેવ પ્રથમ ને બાણાવળી ભીમદેવ તરીકે ઓળખ છે.
સિદ્ધરાજ જયસિંહ (ઈ.સ. 1094 -1143) 
  1. સિદ્ધરાજ જયસિંહ નો જન્મ ઈ .સ. 1091માં પાલનપુરમાં થયો હતો .
  2. શાંતુમંત્રીએ સિદ્ધરાજ જયસિંહ ને ઘણી મદદ કરી હતી.  
  3. ધારણ કરેલ બિરુદો :-             
  4. 1 અવંતિનાથ
  5. 2 બબરક જિષ્ણુ
  6. 3 ત્રિભવનગંડ
  7. 4 સિદ્ધચક્રવતી
  8. સિદ્ધરાજ જયસિંહ આચાર્ય હેમચંદ્રાચાર્યને વ્યાકરણના મૂળ સૂત્રો અને વિવેચન આધારિત સિદ્ધહેમ ગ્રંથ રચવાની પ્રેરણા આપી હતી .
  9. ઈ.સ. 1143માંસિદ્ધરાજ જયસિંહ નું આવસાન થયું હતું .
કુમાળપળે ( ઈ.સ. 1143-1174 )
  1. સિદ્ધરાજ જયસિંહ ના મુત્યુ બાદ ઈ.સ. 1143-1174 સુધી ભીમદેવની રાની બકુલાદેવીના વંશના કુમાળપળે સોલંકી વંશનું શાસન ચલાવ્યું.
  2. કુમાળપળે ની ઓળખ જેનધર્મ અંગીકાર કર્યો અને ગુજરાતનો અશોક તરીકે થાય છે.
  3. ગુજરાતનો અશોક તરીકે કુમાળપળે ને ઓળખવા માં આવે છે.
  4. કુમાળપળે રાજ્યભરમાં દારૂબંધી કરાવી હતી.
અજયપાળ (ઈ.સ. 1174-1177)
  1. અજયપાળ એ કુમાળપળ ના ભાઈ મહીપળ નો પુત્ર હતો.
મૂળરાજ બીજો (ઈ.સ. 1177-1179)
  1. મૂળરાજબીજો એ અજયપાળનો પુત્ર હતો .
ભીમદેવ બીજો  (ઈ.સ.1179-1242)
  1. ભીમદેવ બીજો ના સમયમાં સોલંકી વંશનો સમયગાળો પૂર્ણ થવાની શરૂઆત થઈ ગયા હતી.
  2. જેઓને ભોળાભીમદેવ તરીકે ઓળખાય છે.
ત્રિભુવનપાળ (ઈ.સ. 1179-1242) 
  1. ત્રિભુવનપાળએ સોલંકી વંશનો અંતિમ શાસક હતો.
વાઘેલા વંશ (ઈ.સ. 1244-1304)

 

વીસલદેવ (ઈ.સ.1244-1262)
  1. વીરધવલ ના બે પુત્ર હતા.
  2. (1) વિરામદેવ
  3. (2) વીસલદેવ
  4. વસ્તુપાળ અને તેજપાળ વીરધવલના મંત્રી હતા
  5. વિસલદેવનો સમયગાળો ઈ.સ. 1244 થી 1262નો ગણાય છે.  
  6. વિસલદેવ  વાઘેલાને અભિનવ સિદ્ધરાજ અને અમર અર્જુન પણ કહેવાય છે.
અર્જુનદેવ વાઘેલા (ઈ.સ. 1262-1275)
  1. સોમનાથમાં મસ્જિદ બનાવ ની મંજૂરી આપી હતી.
સારંગદેવ વાઘેલા (ઈ.સ.1275-1296)
  1. સોમનાથ મંદિરનો જેણોદ્વાર કર્યો.
કર્ણદેવ વાઘેલા (ઈ.સ.1296-1304)
  1. રંગીન મિજાજી હોવાના ના કરીને તેને ગુજરાતનો ઈતિહાસમાં કરણઘેલો તરીકે ઓળખાય છે.
  2. કર્ણદેવ વાઘેલાને માધવ નામનો સેનાપતિ હતો.જે કર્ણદેવ સાથે વેર વળવાનું નક્કી કરતા માધવે દિલ્હીમાં રાજ કરતા અલાઉદીન ખીલજી ને ગુજરાત પર આક્રમણ કરવા અને સંપત્તિ લૂંટવા લોભ જગાડિયો અને ગુજરાતના આક્ર્મણમાં તમામ મુદ્દે મદદ કરવા જણાવ્યું . 
  3. કર્ણદેવ વાઘેલા નાસી છૂટ્યો હતો પંરતુ અંતે હાર થઈ અને મુત્યુ પામ્યો.
  4. જેથી કર્ણદેવ વાઘેલા ગુજરાતનો છેલો હિન્દૂ અને રાજપૂત રાજા થયો.
ગુજરાતમાં મુઘલ યુગ (ઈ.સ.1572-1707)

 

બાબર, હુમાયુ, અકબર (ઈ.સ.1572થી 1605)

 

  1. મુઘલ સામ્રાજ્ય ના સ્થાપક બાબર દ્વારા 1526માં હિંદ પર આક્રમણ સમયે ગુજરાત મુઝફ્ફરશાહ બીજાનું શાસન હતું.
  2. અકબરે ઇતિમદખાનને મુઘલ સામ્રાજ્ય વતી ગુજરાત વહીવટ સોંપ્યો.
  3. અકબરે ખંભાતની યાત્રા દરમિયાન સૌપ્રથમ દરિયાનું દર્શન કર્યું.
  4. સૂબા તરીકે મિર્ઝા અઝીઝ કોકની નિમણૂક થતા તે ગુજરાત નો પ્રથમ મુઘલ સૂબો બન્યો.
જહાંગીર (1605થી 1627)
  1. જહાંગીર ની આ ગુજરાત યાત્રા દરમિયાન જ તેના પુત્ર શાહજહાં ને ગુજરાતનું સૂબાપદ મળ્યું.
  2. ઈ .સ . 1608 માં જહાંગીરના દરબારમાં કેપ્ટન હોકિંગ્સ આવ્યો. જે હેકટર નામના વહાણમાં સુરત બંદરે ઉતયૉ હતો પરંતુ જહાંગીર અંગ્રેજ ને મંજૂરી આપી નહીં.
શાહજહાં (1627 થી 1657)
  1. ઈ .સ. 1627 મી જહાંગીર અવસાન થતા તેનો પુત્ર શાહજહાં મુઘલ સામ્રાજ્ય બાદશાહ બન્યો
ઔરંગઝેબ (1657 થી 1707)
  1. ઔરંગઝેબ નો જન્મ ગુજરાતના દાહોદમાં જ થયો હતો.
  2. ઔરંગઝેબને ધર્મ પત્યે અંધ માનવામા આવે છે.
  3. ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન સમાન જકાત દાખલ કરવા માં આવી.
  4. ઈ.સ. 1707 મા ઔરંગઝેબનું મુત્યુ થયું. ઔરંગઝેબ ઈ.સ. 1658 થી 1707 ગણાય છે.

ગુજરાતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ

  1.  ચાંપાનેર (પાવાગઢ-2004)
  2.  રાણકીવાવ (પાટણ -2014)
  3.  અમદાવાદ (વર્લ્ડ હેરિટેજ સીટી-2017)
  4.  ધોળાવીરા (કચ્છ-2021)

 

આધુનિક ગુજરાત

 

1857 પશ્વાત ગુજરાત
  1. 1857ના સ્વતંત્રતા સંગ્રામ થી અંગેજો ની મુશ્કેલીઓ વધી હતી. જેથી અંગેજોએ સંરક્ષણ જેવી બાબતોમાં વધુ રસ દાખવ્યો હતો.
  2. ઈ.સ. 1858થી સામાજિક અને ધાર્મિક રાજકીય શેક્ષણિક સુધારાઓ થયા. જે અર્થે ગુજરાત આગળ આવ્યું.
ગાંધીજીનું ભારત આગમન
  1. ગાંધીજી 9 જાન્યુઆરી, 1915માં ભારત (મુંબઈ એપોલો બૅંડર) પરત ફર્યા. 
સાબરમતી આશ્રમની સ્થાપના ( 'હૃદયકુંજ')
  1. ગાંધીજીએ સાબરમતી નદીના કિનારે ઈ.સ. 1917માં સાબરમતી આશ્રમ ની સ્થાપના કરી.
  2. જે સાબરમતી આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાન નું નામ  'હૃદયકુંજ' છે.

 

અત્યારસુધીના રાજ્યપાલ

(1)       મહેંદી નવાઝ જંગ

1960-1965

(2)       નિત્યાનંદ કાનુગો

1965-1967

(3)     પી.એન.ભગવતી (કાર્યકરી)

1967

(4)      ડૉ.શ્રીમન્નારાયણ

1967-1973

(5)     પી.એન.ભગવતી (કાર્યકરી)

1973

(6)      કે.કે.વિશ્વનાથન

1973-1978

(7)     શારદા મુખરજી

1978-1983

(8)      કે.એમ.ચાંડી

1983-1984

(9)     બી.કે. નહેરુ

1984-1986

(10)     આર .કે. ત્રિવેદી

1986-1990

(11)    મહિપાલસિંહ શાસ્ત્રી

1990

(12)     ડૉ. સ્વરૂપસિંહ

1990-1995

(13)     નરેશચંદ્ર સક્સેના

1995-1996

(14)     કૃષ્ણપાલસિંઘ

1996-1998

(15)      અંશુમાનસિંઘ

1998-1999

(16) કે.જી.બાલકૃષ્ણન (કાર્યકરી)

1999

(17)       સુંદરસિંહ ભડારી

1999-2003

(18)      કૈલાસપતિ મિશ્રા

2003-2004

(19)      બલરામ જાખડ

2004

(20)     નવલકિશોર શર્મા

2004-2009

(21)     એસ.સી.ઝમીર  (કાર્યકરી)

2009

(22)      ડૉ. કમલા બેનીવાલ

27/11/2009 થી 06/07/2014

(23)      માર્ગરીત આલ્વા (કાર્યકરી)

07/07/2014 થી 15/072014

(24)      ઓમપ્રકાશ કોહલી

16/07/2014 થી 21/07/2019

(25)        આચાર્ય દેવવ્રત 

22/07/2019 થી વર્તમાન

 

 

 

View More Material

Share