મધ્યકાલીન ભારત
ભારતમાં મુસ્લિમ આક્રમણ
ઇસ્લામનો ઉદય
-
વર્તમાન સાઉદી અરેબિયા તરીકે જાણીતો અરબસ્તાન ઇસ્લામની જન્મભૂમિ છે.
-
ધાર્મિક ક્ષેત્રે આરબો બહુદેવવાદ અને મૂર્તિપૂજા માં માનતા હતા. કાબા નજકનો પવિત્ર પથ્થર સ્વર્ગ માંથી પડ્યો હોવા નું માનીને લોકો તેને પૂજતા અને આજે પણ પૂજાય છે.
-
અરબસ્તાનના મક્કામાં કુરૈશ કુટુંબમાં અબ્દુલ્લા અને અમીનબીબીને ત્યાં મહંમદ સાહેબનો જન્મ ઈ.સ.570 માં થયો.મક્કાની શ્રીમંત અને તેમનાથી 15 વર્ષ મોટી વિધવા ખદીજાબીબી સાથે મહંમદ સાહેબે લગ્ન કર્યા.
-
તેમને હીરા નામના ટેકરીની ગુફામાં જિબ્રાઇલ નામના ફરિસ્તાએ દર્શન દીધા અને ઉપદેશ આપ્યો આથી તેમને ઇસ્લામ ધર્મની સ્થાપના કરી. તેમના પત્ની તેમના પ્રથમ અનુયાયી બન્યા.
-
ઈ.સ.622માં મહંમદસાહેબે મક્કાથી મદીના હિજરત કરી.
-
ઈ.સ. 632માં મહંમદ સાહેબે નું મુત્યુ થયું.
-
ભારત પર થયેલા મુસ્લિમ આક્રમણોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.(1) આરબ-આક્રમણ (7થી8 સદી દરમિયાન), (2) ટર્ક-આક્રમણો (10થી12 સદી દરમિયાન ), (3) મુઘલ આક્રમણ (ઈ.સ.1526)
-
ઈ.સ.636માં સૌપ્રથમ આરબ મુસ્લિમોએ થાણે પર આક્રમણ કર્યું.ત્યારબાદ નાના મોટા અન્ય આક્રમણ થયા.
-
ગુર્જર પ્રતિહારોના પરાક્રમ સામે આરબોને સિંધથી આગળ વધવામાં સફળતા મળી નહીં.
ગઝનવીનો ઉદય
-
ગઝની વસાવનાર ( હાલના અફઘાનિસ્તાનમાં આવેલું છે.) ગઝવંશના તુર્કો મૂળ મધ્ય એશિયાના નિવાસી હતા. સાતમી સદીમાં ઇસ્લામના સમ્પર્ક માં આવ્યા હતા.
-
આ વર્ષના સુબુકતગિને (ઈ.સ 977-997)ઈ.સ.986માં સરહિંદનાં રાજા જયમલના કિલ્લાને જીતી પેશાવર કબ્જે કર્યું. ઉપરાંત ખુરસાણને જીતીને પુત્ર મોહમદને સૂબા તરીકે નીમ્યો.
-
મોહમદ ગઝની (ઈ.સ.997-1030)એ 30 વર્ષના શાસન કાળ દરમિયાન ભારત પર અનેક આક્રમણો કર્યા હતા.આ પેકીનું પ્રબળ આક્રમણ સોમનાથ મંદિર પર હતું.તેને આક્રમણો ને જેહાદનું સ્વરૂપ આપ્યું હતું.
શાહબુદીન (મોહંમદ ) ઘોરી
-
જન્મ : ઈ.સ.1138
-
ઘોરી રાજ્ય ગઝનીનું ખંડિયુ રાજ્ય પણ હતું.ગઝનીમાં નિર્બળ વારસદારો આવતા ઘોરી ના સરદાર ગ્યાસુદીને ગાડી છીનવી લીધી અને ગઝનીના સૂબા તરીકે તેના ભાઈ શાહબુદીન ઘોરીને નિયુક્ત કર્યું.
-
ગ્યાસુદીન ના અવસાન થતા શાહબુદીને ઘોરી અને ગઝની રાજ્યોને એક કરી દીધા. તેને ઈ.સ. 1175-1206 દરમિયાન ભારત પર આક્રમણો કર્યા હતા.
-
ઈ.સ. 1175 માં સૌપ્રથમ મુલતાન પર આક્રમણ કર્યું.
-
ઈ.સ. 1206માં ધમયક નામક સ્થળે ખોખર લોકો દ્વારા મુત્યુ થયું.
દિલ્હી સલ્તનત
(1) ગુલામ વંશ (ઈ.સ. 1206-1290)
(A) કુતુબુદીન ઐબક (ઈ.સ. 1206-1210)
-
તે મહંમદ ઘોરીનો ગુલામ હતો.નિશાપૂર્ણ કાજીએ તેને ગુલામ તરીકે ઘોરીને વેચ્યો હતો.
-
ઈ.સ.1206માં ઘોરીના મુત્યુ પછી ભારતના ઘોરી દ્વારા જીતાયેલા પ્રદેશો એકઠા કરી ને ગુલામ વંશ નો પાયો નાખ્યો.
-
આમ,તે ભારતમાં મુસ્લિમ સામ્રાજ્ય હતું .તેને લાહોરને રાજધાની બનાવી હતો.
-
તે ‘લાખબક્ષ’ તરીકે ઓળખતો.
-
તેને ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદ નું નિર્માણ કરાવ્યું હતું.
-
કુતુબુદીન કદરૂપો હોવા છતાં ઘોરીએ તેને એબક (ચન્દ્ર જેવા મુખવાળો) ઉપનામ આપ્યું હતું.
-
ઈ.સ.1210માં ઘોડા પરથી પડી જવાથી તેનું મુત્યુ થયું.
(B) શમસુદીન ઇલ્તુતમિશ (ઈ.સ.1211-1235)
-
તે ઐબક નો જમાઈ હતો.તે ઇલ્બરી જાતિનો તુર્ક હતો.
-
તેને રાજધાની લાહોરના સ્થાને દિલ્હી બનાવી.
રઝિયા સુલતાન (ઈ.સ 1236-1240)
-
તે ઇલ્તુતમિશની પુત્રી હતી . તે સલતન યુગની સર્વપ્રથમ અને એકમાત્ર સ્ત્રી શાસિકા હતી.
-
તેને ભાઈ રુકનુદીન ફિરોઝ અને માતા શાહ તુર્કન ને પરાજય આપી ને ગાદી મેળવી હતી
-
એ પડદા પ્રથાનો ત્યાગ કરી ને પુરુષના કપડાં પહેરતી અને હાથી પર સવારી કરતી હતી.
(C) ગ્યાસુદીન બલ્બન (ઈ.સ.1266-1287)
-
તે ઇલ્તુતમિશનો ગુલામ હતો.તેને તેના જમાઈ નાસુરુદીન મોહમ્મ્દને ઈ.સ. 1246માં સુલતાન બનાવ્યો હતો.
-
તેને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદા શરૂ કરાવી.
-
ભારતમાં પારસી તહેવાર નવરોઝ ચાલુ કરાવ્યું.
-
આ વંશ નો અંતિમ શાસક કૈકુબાદ હતો.
(2) ખલજી વંશ (ઈ.સ.1290-1320)
-
સ્થાપક : જલાલુદીન ખલજી
-
જલાલુદીનની હત્યા કરીને તેનો ભત્રીજો અને જમાઈ અલાઉદીન ગાદીએ આવ્યો .
(A) અલાઉદીન ખલજી (ઈ.સ.1296-1316)
-
ઈ.સ.1303માં ચિતોડ પર આક્રમણ કરીને રતનસિંહ ને પરાજય આપ્યો . આ યુદ્ધ પાછળનું કારણ અલાઉદીન રતનસિંહ ની પત્ની પદ્દમીનીના સૌંદર્યથી આકર્ષર્યો હોવાનું માનવ માં આવે છે.
-
મલિક કાફૂર તેનો સેનાપતિ હતો. જેને સમગ્ર દક્ષિણ ભારતમાં જીતી લીધું હતું.
-
તેને ઘોડાને દાગ આપવાની અને સેનિકો ના હુલીયા લખવાની પ્રથા આપનાવી હતી.
-
તેને દિલ્હીમા અલ્લાઇ દરવાજા અને સીડીના કિલ્લાનું નિર્માણ કરાવ્યું.
-
અલાઉદીન ખિલજીએ લગાવેલા બે કર.
-
(1) ચરાઈ કર (દુધારું પશુ પર) (2) ગઢી -કર. (ઘર અને ઝૂંપડી પર)
-
આ વંશ નો અંતિમ શાસક ખુશરો શાહ હતો.
(B) લોદી વંશ (ઈ.સ.1451-1526)
-
સ્થાપક : બહલોલ લોદી,દિલ્હીમાં સૌપ્રથમ અફઘાન રાજ્યની સ્થાપના નો શ્રય તેને જાય છે.
-
સિકંદર લોદી સૌથી મોટો લોદીશાસક હતો.
વિજયનગર સામ્રાજ્ય
-
ઈ.સ.1336માં હરિહર અને બુક્કારાય નામના બે ભાઈ એઓ સ્વામી માધવ વિદ્યારણ્ય અને સ્વામી સાયણાચાર્યની પ્રેરણાથી તુંગભદ્રા નદીની દક્ષિણે અને ગુડી રાજ્યના કિલ્લાની સામે વિજયનગરની સ્થપના કરી હતી.
-
પાટનગર:હમ્પી ,રાજભાષા:તેલુગુ
-
વિજયનગર સામ્રાજ્ય માં ક્રમશ: ચાર વણશોનું શાસન થયેલું.સંગમ,સાલુવ , તુલુવ અને અરવિડુ વંશ.
-
તુલુવ વંશનો કૃષ્ણ દેવરાય વિજયનગર નો સૌથી પ્રતાપી રાજા હતો.
-
ઈ.સ.1509માં તેના રાજ્યભિષેક વખતે ભારતમાં પોર્ટુગીઝ ગવર્નર તરીકે આલ્બુકર્ક ની નિમણુક થયેલી.
-
'પાંડુરંગ માહાત્મ્યમ' ની રચના તેનાલીરામને કરેલી.
ભક્તિ આંદોલન
-
ભારતમાં ભક્તિ આંદોલન ની શરૂઆત તમિલ વિસ્તારમાં થઈ.
-
ભક્ત-કવિ-સંતોના બે સમૂહો હતા.પ્રથમ સમૂહ વૈષ્ણવ સંતો હતા.જે મહારાષ્ટ્ર માં લોકપ્રિય હતો. દ્વિતીય સમૂહ ઉત્તર ભારત સક્રિય થયેલો જેઓ નિર્ગુણી ભક્તિ આસ્થા રાખતા.
-
નિર્ગુણ સંપ્રદાય જે ભગવાનને નિરાકર રૂપમાં પુજતો .જેમાં સૌથી વધુ પ્રસીદ્ધ કબીર હતા. નાનક પર આ સંપ્રદાયમાં હતા.
શંકરાચાર્ય (જન્મ:788,કેરળના કાલડી ગામે)
-
હિન્દૂ ધર્મના પુનરુત્થાન માટે પ્રયત્નો કર્યા અને અદ્વૈતવાદનો સ્થાપના કરી.
-
ચાર દિશામાં ચાર મઠ સ્થાપ્યા.
-
(1) ઉત્તરમાં બદ્રીનાથમાં જ્યોતિષ પીઠ
-
(2) દક્ષિણમાં કર્ણાટકમાં શુંગરીપીઠ
-
(3) પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધનપીઠ
-
(4) પશ્ચિમ માં દ્વારકામાં શારદાપીઠ
1 રામાનંદ (જન્મ : ઈ.સ.1299)
-
દક્ષિણમાંથી આવે ને બનારસમાં સ્થાયી થયેલા તેઓના ઉત્તર-દક્ષિણના ભક્તિમાર્ગ ના કડીરૂપ ગણાવી શકાય.
-
કબીર,સેન,પીપા, રૈદાસ તમને શિષ્ય હતા.
(2)કબીર
-
જન્મ ઈ.સ.1440 (વારાણસીમાં વિધવા બ્રાહ્મણ ની કુખે થયા હતા.)
-
પાલક માતા : નીમા , પાલક પિતા : નીરુ ગુરુ :રામાનંદ
-
ઉછેર વણકર કુટુંબ માં થયો હતો.
-
તેઓ સિકંદર લોદીના સમકાલીન હતા.
(3) નાનક
-
જન્મ :ઈ.સ.1469તલબંડી (પંજાબ , લાહોર )
-
પિતા : કાલુ માતા : ત્રિપ્તા
-
તલબંડીને નાનકાના સાહેબ તરીકે ઓળખવામાં આવે છે.
-
શીખ ધર્મ સ્થાપના કરાઈ.
-
કબીરને તેઓ ગુરુ માનતા હતા.
-
'સંતશ્રી અકાલ ' એવું સૂત્ર આપ્યું.
-
સૂફી સંત ફરીદથી તેઓ પ્રભાવિત થયેલા.
(4) તુલસીદાસ
-
જન્મ :ઈ.સ.1532 (રાજપુર ગામ , ઉત્તર પ્રદેશ )
-
રામચરિતમાનસ ની રચના કરી.
મુઘલ-સલ્તનત
-
ભારતમાં મુઘલ સલ્તનતનો સ્થાપક બાબર હતો.
-
મુઘલોની રાજભાષા ફારસી હતી.
બાબર (ઈ.સ.1526-1530)
-
જન્મ ઈ.સ.1483 , અંદિજાન (ફરઘાના )
-
પિતા: શેખ ઉંમર મિર્ઝા , માતા : કુતલક નિગાર ,
-
મુળ નામ :ઝીહાર ઉદદીન મોહમંદ
-
બાબર શબ્દ નો અર્થ વાઘ એવો થાય.
-
ઈ.સ.1528માં ચંદેરી ના યુદ્ધમાં બાબરે મેદનીરાય ને પરાજય આપ્યો.
-
ઈ.સ.1529માં ગોગ્રા ના યુદ્ધમાં મોહંમદ લોદી ને પરાજય આપ્યો.
-
તેને તેની ઉદારતા માટે કલંદર ની ઉપાધિ મળેલી .
-
પાણીપત અને અયોધ્યામાં મસ્જિદ નું નિર્માણ કરાવ્યું હતું.
-
ભૂમિતિ ના આધારે ભારતમાં બગીચા નું નિર્માણ કરાવ્યું.
-
ઈ.સ.1530માં મુત્યુ પામ્યો.
હુમાયું (ઈ.સ.1530-1540 & 1555-1556)
-
જન્મ :ઈ.સ. 1508 , કાબુલ , માતા : મહમઅંગા
-
બાબર ના મુત્યુ પછી પુત્ર હુમાયું ઈ.સ.1530માં ગાદીનો વારસ બન્યો.
-
તે અંધવિશ્વાસુ હતો. દરરોજ દિવસ અલગ-અલગ રંગના કપડાં પહેરતો.
-
ઈ.સ.1533માં દિનપનાહ નામના નગર ની સ્થાપના કરી.
-
ઈ.સ.1539માં ચૌસાના યુદ્ધમાં શેરશાહ સુરી સામે પરાજય થયો.
-
તે ઈ.સ. 1540-1555 સુધી નિર્વાસીત અવસ્થામાં રહ્યો . આ દરમિયાન તેના ભાઈ હિંદાલ ના ગુરુ શેખ અકબર જામીનીની પુત્રી હમીદાબાનુ સાથે લગ્ન કર્યા.ઈ.સ.1542માં પુત્ર (અકબર)ની પ્રાપ્તિ થઈ.
-
ઈ.સ.1555માં સરહિંદના યુદ્ધમાં સિકંદર સુરીને યુદ્ધ માં પરાજય આપીને ભારતમાં ફરી વખત સતા પ્રપ્તી થઈ.
-
હુમાયુ નો મકબરો દિલ્હીમાં આવેલો છે.
અકબર ( ઈ.સ.1556-1605)
-
જન્મ: 15 ઓક્ટોબર 1542
-
હુમાયુ જયારે નિર્વાસિત અવસ્થા માં હતો ત્યારે ઉમરકોટના કિલ્લામાં રાણા વિરસાલનાં મહેલ માં બેગમ હમીદાબાનુ કુખે જન્મ થયો.
-
ગાદીએ આવતા પહેલા પંજાબ નો હાકેમ બનેલો.
-
5 નવેમ્બર , 1556ના રોજ પાણીપત ના દ્વિતીય યુદ્ધમાં મુઘલ સેનાપતિ અકબરે હેમુ વિક્રમદિત્ય ને પરાજય કર્યો.આ યુદ્ધમાં બૈરમખાને સેનાનું નેતૃત્વ કરેલું
-
ઈ.સ.1560-62ના સમયને પેટીકોટ શાસન અથવા સ્ત્રીયાશાસન તરીકે ઓળખવા આવે છે.
-
ઈ.સ.1562માં અકબરે શાસન ની ધુરા પોતાની હાથમાં લઈ આમેરના રાજા ભારમલની પુત્રી લગ્ન કર્યા.ભારમલના પુત્ર ભગવાનદાસ અને ભગવાનદાસ ના પુત્ર માનસિંહ ને પોતાના દરબાર રાખેલો.
-
ઈ.સ.1563માં તીર્થયાત્રા વેરો ઈ.સ.1564માં જજિયાવેરો સમાપ્ત કર્યો.
-
ઈ.સ.1576માં ફતેહપુર સિક્રી નગરની રચના કરી.
-
ગુજરાત વિજયની યાદ માં બુલંદ દરકાજોનું નિર્માણ ફતેહપુર સિક્રીમાં કર્યું.
-
1575માં એબાદતખાનાની રચના કરી અને ઈ.સ.1578થી ઈબાદતખાનાની રચના કરી અને ઈ.સ.1578થી એબાદતખાનામાં બધા ધર્મના લોકોને પ્રવેશ ની અનુમતિ આપી.
-
ઈ.સ.1576 હલ્દીઘાટી નું યુદ્ધ થયું.આ યુદ્ધના અકબર વતી માનસિંહે મેવાડના શાસકને રાણા પ્રતાપને પરાજય આપ્યો.(પઠાણ સરદાર હકીમ સુરીએ રાણા પ્રતાપને સાથ આપેલો.)
-
1579માં અકબરે મઝહલની ઘોષણા કરી.
-
અસીરગઢ નું યુદ્ધ તેમનું અંતિમ યુદ્ધ હતું.
-
ઈ.સ.1585માં રાજધાની લાહોર સ્થાનાંતરિત કરી હતી.
-
અકબર ઈ.સ.1605માં બીમાર પડ્યો અને મુત્યુ પામ્યો.
જહાંગીર (1605-1627)
-
જન્મ :ઈ.સ.1569 શેખ સલીમ ચિશ્તી ની કુટિરમાં મૂળ નામ : સલીમ
-
અકબરે પુત્રનું નામ સલીમ તેના ગુરુ સૂફી સંત ના યાદ માં રાખેલ હતું.
-
તેણે અલીકુલીખાન (શેર-એ-અફખાન)ની વિધવા મેહરુનનિસા સાથે લગ્ન કર્યા.અને તેને 'નૂર-એ-જહાં' એવું નામ આપ્યું.
-
જહાંગીર ન્યાય માટે સોનાની સાંકળ આગરાના કિલ્લા ની બહાર લગાવી હતી.
-
તેના સમય ઈ.સ. 1608માં કેપ્ટન હોકીંગ્સ અને ત્યારબાદ સર ટોમસ રો જેવા અંગ્રજો એ દરબારની મુલાકાત લીધી હતી.જહાંગીર ચિત્રકલાનો સુવર્ણ કાળ કહેવાય છે.
-
ઈ.સ.1627માં ભીમવાર નામના સ્થળે જહાંગીરનું મુત્યુ થયું અને શહાદરા માં રાવી નદીકિનારે દફનાવવામાં આવ્યો.
શાહજહાં (ઈ.સ.1627-1657)
-
જન્મ :ઈ.સ.1592 , મૂળ નામ : ખુર્રમ , માતા :જગત ગોસાઈ (જોધપુરના ઉદયસિંહની પુત્રી)
-
અર્જુનમન્દ બનો બેગમ સાથે લગ્ન કર્યા અને તેને મુમતાજ મહલ એવું નામ નામ આપ્યું.મુમતાજ નું ઈ.સ.1631માં પ્રસવની પીડા થી મુત્યુ થયું.તેણી યાદમાં શાહજહાં એ તાજમહેલનું નિર્માણ કરાવ્યું.
-
શાહજહાંએ આશરે 7 કરોડ ના ખર્ચે બે મારની કળા કરતી રચના વરુ મયૂરાસન નું નિર્માણ કરાવ્યું.
-
શાહજહાંના સમય માં સ્થાપત્ય નો સુવર્ણ કાળ અથવા મુઘલાઈ સુવર્ણ યુગ ગણવામાં આવે છે.
-
1857માં શાહજહાં ગંભીર રૂપેએ બીમાર પડેલો હતો. આથી તેના પુત્રો માં ઉત્તરાધિકારી માટે યુદ્ધ શરૂ થયું હતું.જેમાં ઔરંગઝેબ બધાને પરાજય કરી ગાદી મેળવવી લીધી.
-
ઈ.સ.1658માં ઔરંગઝેબ શાહજહાંને બંદી બનાવ્યો.8 વર્ષ ના કેદી જીવન પછી ઈ.સ.1666માં તેનું મુત્યુ થયું.
ઔરંગઝેબ(ઈ.સ.1658-1707)
-
જન્મ:ઈ.સ.1618 (દાહોદ માં), ગુરુ : મીર મહંમદ હકીમ
-
તે કટ્ટર સુન્ની મુસ્લિમ અને હિંદુ વિરોધી શાસક હતો.
-
તે ટોપીઓ સીવીને અને કુરાનની આયાતો લખીને પોતાનું ગુજરાન ચલાવતો.
-
ઈ.સ.1679માં જજિયાવેરો પુન:લાગુ કર્યો.
-
તેણે કુરાનને પોતાનો શાસન આધાર બનાવ્યો.
-
ઈ.સ.1665માં હિન્દૂ મંદિરો તોડવાનો આદેશ આપ્યો.ઈ.સ.1707માં તેનું મુત્યુ થયું અને રોજા માં દફનાવવામાં આવ્યો આ સાથે મુઘલ સામ્રાજ્ય ના પતન ની શરૂઆત થઈ.
મરાઠા- સામ્રાજ્ય
શિવાજી
-
મરાઠા સામ્રાજ્યના સ્થાપક .
-
જન્મ :ઈ.સ.1627 શિવનેરી કિલ્લામાં .
-
માતા: જીજાબાઇ , પિતા :શાહજી ભોસલે, ગુરુ :રામદાસ અને કોસદેવ
-
શિવાજીના લગ્ન ઈ.સ.1640માં સાલ્બી નિમ્બાલકર સાથે થયા.
-
ઈ.સ.1646માં સૌપ્રથમ તોરણાનો કિલ્લો જિત્યો.
-
ઈ.સ.1665માં બીજાપુરના સુલતાને તેમના સેનાપતિ અફઝલખાનને શિવાજી નો વધ કરવા મોકલ્યો પરંતુ શિવાજીએ અફઝલખાની હત્યા કરી નાખી, તે તેમના જીવનની સૌથી અગત્યની સિદ્ધિ હતી.
-
શિવાજી એ ઈ.સ.1664 અને ઈ.સ.1670માં સુરત લુંટ્યું.
-
ચોથ કોઈ ક્ષેત્ર ને બરબાદ ન કરવા બદલ અને તેના રક્ષણ ની જવાબદારી લઈને ઉઘરાવતો કર હતો.
View More Material
Share